બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે આગામી વર્ષોમાં ઉત્તર-પૂર્વ ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના વિકાસનું કેન્દ્ર બની શકે છે. ઉત્તર પૂર્વ સશક્તિકરણ – આત્મનિર્ભર ભારત તરફ પરિવર્તનશીલ દાયકા વિષય પર યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રી સોનોવાલે કહ્યું કે સરકારની એક્ટ ઈસ્ટ નીતિમાં પરિવર્તન લાવનાર ઉત્તર-પૂર્વ ભારતની કેન્દ્રીય ભૂમિકા છે. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ભારતીય બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરને તેમની 69મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:17 પી એમ(PM) | સર્બાનંદ સોનોવાલ
આગામી વર્ષોમાં ઉત્તર-પૂર્વ ભારત દક્ષિણ-પૂર્વ એશિયાના વિકાસનું કેન્દ્ર બની શકે છે :બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ
