ડિસેમ્બર 14, 2025 7:10 પી એમ(PM)

printer

આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 11 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. જોકે અમરેલીમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ વડોદરામાં 12, ગાંધીનગરમાં 14 અને અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.