IPLમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે મેચ બપોરે 3.30 વાગે શરૂ થશે. અન્ય મુકાબલામાં, સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ સાંજે 7:30 વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે.
દરમિયાન ગઈકાલે રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે 206 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી. દિલ્હી કેપિટલ્સ તરફથી મુસ્તફિઝુર રહેમાને ત્રણ વિકેટ લીધી. જ્યારે વિપ્રાજ નિગમ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી. 208 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે સમીર રિઝવીની શાનદાર અડધી સદીને કારણે છેલ્લી ઓવરમાં જીત મેળવી. રિઝવીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
Site Admin | મે 25, 2025 7:32 એ એમ (AM)
આઇપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બપોરે ગુજરાત ટાઇટન્સઅને ચૈન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે
