ઓગસ્ટ 28, 2025 2:04 પી એમ(PM)

printer

અર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા.

અર્જેન્ટિનાએ ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમ હળવા કર્યા છે. તેનાથી માન્ય અમેરિકી પ્રવાસી વિઝા ધરાવતા લોકોને અર્જેન્ટિનાના વિઝા માટે અલગથી અરજી કર્યા વગર પ્રવાસ કરવાની છૂટ મળી છે.
આ નિર્ણયનું સ્વાગત કરતા ભારતમાં અર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કૉસિનોએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, આ રાજપત્રિત આદેશ પ્રવાસી વિઝા ધરાવતા ભારતીય નાગરિકોને અર્જેન્ટિનાના વિઝા માટે અરજી કર્યા વગર પ્રવેશ કરવાની છૂટ આપે છે.
તેમણે આ સમાચારને બંને દેશ માટે સારા ગણાવતા કહ્યું, વધુને વધુ ભારતીય પ્રવાસીઓને સ્વાગત કરવા અર્જેન્ટિના તૈયાર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.