મે 6, 2025 10:18 એ એમ (AM)

printer

અમરેલીમાં શેત્રુજી નદીમાં ડૂબી જતાં ચાર યુવાનોના મોત

અમરેલી તાલુકામાં આવેલ ગાવડકા શેત્રુંજી નદીમાં ડૂબી જવાને કારણે ચાર યુવાનોના મોત થયા છે. સાંજના સમયે ચારેય યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન કિનારે ચારેય યુવાનોના કપડાં પડેલા જણાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ચારેય યુવાનોના મૃતદેહને એકપછી એક બહાર કાઢ્યા હતા. અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, મૃતકો ચારેય યુવાનો ચલાલા નજીક આવેલ મીઠાપુર ડુંગરીના રહેવાસી છે