જુલાઇ 18, 2024 2:33 પી એમ(PM) | અમરનાથ

printer

અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન માટે 4 હજાર 383 શ્રધ્ધાળુઓની વધુ એક ટૂકડી આજે જમ્મુનાં ભગવતી નગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ

અમરનાથની પવિત્ર ગુફાનાં દર્શન માટે 4 હજાર 383 શ્રધ્ધાળુઓની વધુ એક ટૂકડી આજે જમ્મુનાં ભગવતી નગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ હતી. આજે વહેલી સવારે યાત્રાળુઓ 157 વાહનો દ્વારા રવાના થયા હતા, જેમાં 3,222 પુરુષ, 1071 મહિલા, આઠ બાળકો, 67 સાધુ અને 15 સાધ્વીનો સમાવેશ થાય છે. 1701 યાત્રીઓ બાલતાલ બેઝ કેમ્પ અને 2682 યાત્રીઓ પહલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.