અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 190 મૃતકોનાં DNA નમુના મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 157 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું.
પાંચ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 10 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 15 પરિવારો બીજા સ્વજનના DNA મેચની રાહમાં છે તેમજ ત્રણ પરિવારોના ઓળખ પુરાવાની પ્રક્રિયા ચાલી રહી છે..
વિમાન દુર્ઘટનામાં બચનાર વિશ્વાસકુમાર સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દેવાઇ છે. જ્યારે વિશ્વાસકુમારના ભાઈનો મૃતદેહ પણ રાત્રે બે કલાકે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
Site Admin | જૂન 18, 2025 2:05 પી એમ(PM)
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 190 મૃતકોના DNA મેચ થયા અને 157 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા.