જૂન 16, 2025 7:45 એ એમ (AM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 80 DNA નમૂના મૅચ થયા. 33 પાર્થિવ દેહ મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલ સત્તાવાળાઓએ DNA મેચિંગ ટેસ્ટ દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના 80 મૃતદેહોની ઓળખ કરી લીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક અધિક્ષક ડૉ. રજનીશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે 33 મૃતદેહો તેમના પરિવારોને સોંપાયા છે.ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુ:ખદ અવસાન બાદ ગુજરાત સરકારે આજે રાજકીય શોક જાહેર કર્યો છે. જે અંતર્ગત રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગ દ્વારા સ્વર્ગસ્થ નેતાના પાર્થિવ દેહની ઓળખ કરવામાં આવી હતી. આજે સાંજે રાજકોટ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિજય રૂપાણીએ 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.માત્ર ત્રણ મૃતક મુસાફરોના પરિજનો વિદેશમાં રહેતા હોવાથી હજુ સુધી તેમના DNA નમૂના આપ્યા નથી. તેઓ આવતીકાલે સાંજે અમદાવાદ પહોચે તેવી શક્યતા છે.