ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 15, 2025 8:14 પી એમ(PM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 62 DNA મૅચ થયા

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ઍડિશનલ સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રજનીશ પટેલે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 62 DNA મૅચ થયા છે. જ્યારે 44 પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. તેમજ 35 જેટલા મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવાનું કામ આજથી શરૂ થયું છે. અત્યાર સુધી 22 મૃત્યુ પ્રમાણપત્ર બનાવી 22 પરિવારને તેમના મૃતદેહ સોંપાયા છે. મૃતકોના પરિવારજનોને મુશ્કેલી ન પડે તે માટે ઈન્શ્યોરન્સ સંબંધિત કામ માટે 22 ટીમ બનાવવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સંયુક્ત પત્રકાર પરિષદ કરીને ડૉક્ટર રજનીશ પટેલ, શ્રી પાંડે સહિતના અધિકારીઓએ માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ