અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના સગાઓના નમૂનાઓ લેવાની કામગીરી એફ.એસ.એલની ત્રણ ટીમ દ્વારા ડીએનએ સેમ્પલ એનાલીસીસની કામગીરી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં 248 સગાં-સંબંધીઓના બલ્ડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જ્યારે વધુ 11 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 9 મૃતદેહો સુપરત કરવામાં આવ્યાં છે જ્યારે અન્ય 2 સુપરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આરોગ્ય વિભાગે ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોર્પેડિક, ન્યુરો, મેડિસિન, પ્લાસ્ટિક અને બર્ન્સના 100 જેટલા નિષ્ણાંતો-સહાયકોની 5 ટીમ તેમજ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 32 નિષ્ણાંતો અને 20 સહાયકોની ટીમ તેમજ બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે 12 નિષ્ણાંતોની ટીમ કાર્યરત કરી છે.સંબંધિત જિલ્લાઓમાં નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમની રચના કરવામાં આવી છે. આ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ 230 કર્મચારીઓની નિમણૂંક તથા કામગીરીના સંકલન માટે ત્રણ નાયબ કલેકટર કક્ષાના અધિકારની નિમણૂંક કરી છે. તેમજ હવાઈ માર્ગે મૃતદેહ લઈ જવા માંગતા લોકો માટે રાજ્ય સરકાર એર ઈન્ડિયા સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
Site Admin | જૂન 15, 2025 9:55 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિજનોના D.N.A. ટેસ્ટ માટે 248 લોકોના નમૂના લેવાયા
