ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 7, 2024 8:31 એ એમ (AM) | રેલવે વિભાગ

printer

અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે.

અમદાવાદ રેલવે વિભાગે એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન ટિકિટ વિના યાત્રા કરનારા 94 હજાર 600થી વધુ કેસમાં 8 કરોડ 71 લાખ રૂપિયાનો દંડ વસુલ્યો છે. તેમજ ગેરકાયદેસર બુકીંગ દ્વારા મુસાફરી કરનાર આશરે 81 હજાર 500 મુસાફરો પાસેથી 4 કરોડ 70 લાખ રૂપિયાની દંડની રકમ વસુલી છે.
એપ્રિલથી નવેમ્બર 2024 સુધીમાં વગર ટિકિટે તેમજ અનિયમિત મુસાફરો અને બુકીંગ વિનાની મુસાફરી અને સામાન સહિતના કુલ 1 લાખ 78 હજાર કેસમાં 13 કરોડ 46 લાખ રૂપિયાની માતબર રકમ દંડ સ્વરૂપે વસુલ કરી છે. પશ્ચિમ રેલવે વિભાગે પ્રજાજનોને ઉચિત ટિકિટ દ્વારા મુસાફરી કરવા અનુરોધ કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ