ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 11:04 એ એમ (AM)

printer

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ગાંધી બ્રિજ પર 38 સ્પાન, સરદાર બ્રિજ પર 48 અને પરિક્ષિતલાલ મજમુદાર બ્રિજ પર 3 સહિત 89 સ્પાન ઉપાડી માળખાકીય સ્થિરતા અને સલામતી સુધારવા માટે બેરિંગ્સ બદલવામાં આવશે. મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આ શ્રેણીના કામ માટે કોઈ સક્રિય ટેન્ડર અસ્તિત્વમાં ન હોવાથી, હાલના એલિસ બ્રિજ કોન્ટ્રાક્ટરનો કાર્યક્ષેત્ર ત્રણ પુલોને સમાવવા માટે વિસ્તૃત કરાયું છે.