મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ, ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટ ચાર હજાર 464 ચોરસ મીટરમાં રૂપિયા 55 લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરી તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ આઠ હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 250 રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.મિશન ફોર મિલીયન ટ્રીઝ 2025 અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી 6 ઓગસ્ટ 2025 સુધીમાં કુલ 26 લાખ 50 હજાર કરતાં વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 9:52 એ એમ (AM)
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ૧૯૯મા અર્બન ફોરેસ્ટ- ઓક્સિજન પાર્કની મુખ્યમંત્રી આજે ભેટ આપશે