અમદાવાદ ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ કેસમાં અમદાવાદ ગુનાશાખાએ વધુ એક આરોપી ડૉ. સંજય પટોલિયાની આજે ધરપકડ કરી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, આ ગેરરીતિ મામલે વસ્ત્રાપુર પોલીસમથકે ત્રણ અલગઅલગ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ડૉ. સંજય પટોલિયાનું પણ નામ હતું. તેણે અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી ગઈકાલે અદાલતે નકારી કાઢી હતી.
આરોપી ડૉ. સંજય પટોલિયા બેરિયાટ્રીક સર્જન છે. તે 25 વર્ષથી તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે.
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ કેસમાં અત્યારસુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજુ બે આરોપી ફરાર છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 3:33 પી એમ(PM)
અમદાવાદ ખ્યાતિ હૉસ્પિટલ ગેરરીતિ કેસમાં અમદાવાદ ગુનાશાખાએ વધુ એક આરોપી ડૉ. સંજય પટોલિયાની આજે ધરપકડ કરી
