ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે , અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સફેદ રણ, કચ્છ સુધીની દૈનિક બસ સેવા શરૂ કરાઇ છે. શ્રી સંઘવી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ માહિતી આપી હતી . ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સફેદ રણ સુધી એસી વોલ્વોની દૈનિક બસ સેવા શરૂ કરાઇ છે.
Site Admin | નવેમ્બર 30, 2024 6:42 પી એમ(PM)
અમદાવાદ એરપોર્ટથી કચ્છના ધોરડો સફેદ રણ સુધીની દૈનિક બસ સેવા શરૂ કરાઇ
