ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત વાપી અને સુરત વચ્ચેના તમામ 9 બ્રીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત વાપી અને સુરત વચ્ચેના તમામ 9 બ્રીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં ખારેરા નદી પર 29 ઑક્ટોબરના રોજ બ્રીજનું બાંધકામ પૂર્ણ થયું હતું. આ સાથે જ આ વિસ્તારમાં બનનારા તમામ 9 બ્રીજનું કામ પૂર્ણ થયું છે.
ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન કોરિડોરના ભાગ રૂપે રાજ્યમાં વિવિધ નદીઓ પર કુલ 20 પૂલ તૈયાર કરવામાં આવનાર છે, જેમાંથી 12 બીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
વાપી અને સુરત વચ્ચે નવસારીમાં ખારેરા, વલસાડમાં પાર, પુર્ણા, મિંઢોળા, અમ્બિકા, વલસાડમાં ઔરાન્ગા, કોલાક નદી, નવાસારીમાં કાવેરી નદી અને વેગાણિયા નદી પર મળીને કુલ 9 બ્રીજ તૈયાર કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ બ્રીજ વડોદરાની ઢાઢર, ખેડાની મોહર, તેમજ વાત્રક નદી પર બનાવવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ