અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં 39 જેટલા મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે અને તેમના મૃતદેહ તૈયાર રાખવામાં આવ્યા છે. મૃતકના DNA મેચ થયા છે તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવશે. રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહ રવાના કરવામાં આવશે.
અમારા અમદાવાદાનાં પ્રતિનિધીના જણાવ્યાં મુજબ, અગાઉ રવિવારે સાંજથી મૃતદેહ આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ પરિવારજનોને ત્વરિત મૃતદેહ મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી જેથી 48 કલાકમાં જ DNA મેચ થયેલા પરિવારજનોને મૃતદેહ આપવામાં આવશે.
Site Admin | જૂન 14, 2025 3:39 પી એમ(PM) | વિમાન દુર્ઘટનામાં
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહોની ઓળખ માટે આજથી DNA સેમ્પલ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
