અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતની લોકકળા અને લોકસંસ્કૃતિના પ્રહરી પદ્મશ્રી સ્વ. જોરાવરસિંહ જાદવની આજે પ્રાર્થના સભા યોજાઇ. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.
સ્વ. જોરાવરસિંહ જાદવ લેખક અને સંશોધક ઉપરાંત ગુજરાતની ધરતીને ધબકતી રાખનારી લોકકળા અને લોકકલાકારોના જીવંત સંરક્ષક હતા. તેમણે વર્ષ 2019માં તેમજ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમણે સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
Site Admin | નવેમ્બર 10, 2025 3:47 પી એમ(PM)
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.