અમદાવાદ શહેરમાં આગામી પેહલી જાન્યુઆરીથી જે ઑટોરિક્ષામાં મીટર નહીં હોય તે રિક્ષાચાલકને દંડ આપવામાં આવશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ આશિષ પંચાલ જણાવે છે કે, રિક્ષાચાલકો યાત્રીઓ પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની અનેક ફરિયાદ મળતાં પોલીસ કમિશનર દ્વારા રિક્ષામાં મીટર ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. હવે આગામી પેહલી જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાને દંડ આપવામાં આવશે.
ઉપરાંત રિક્ષાચાલકે મીટરથી ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવી પડશે. ટ્રાફિક પોલીસે પણ રિક્ષાચાલકોને મીટર લગાવવાની અપીલ કરી છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 7:21 પી એમ(PM)
અમદાવાદમાં ઑટોરિક્ષામાં મીટર ફરજિયાત લગાવવા શહેર પોલીસ કમિશનરનો નિર્ણય
