ડિસેમ્બર 18, 2025 2:58 પી એમ(PM)

printer

અમદાવાદમાં આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડે-નાઈટ ટી-20 ક્રિકેટ મૅચ રમાવાની હોવાથી મૅટ્રો ટ્રૅન રાત્રે સાડા 12 વાગ્યા સુધી દોડશે.

અમદાવાદમાં આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડે-નાઈટ ટી-20 ક્રિકેટ મૅચ રમાવાની હોવાથી મૅટ્રો ટ્રૅન રાત્રે સાડા 12 વાગ્યા સુધી દોડશે. નરેન્દ્ર મોદી સ્ટૅડિયમમાં રમાનારી મૅચને લઈ ગુજરાત મૅટ્રો રૅલ કૉર્પોરેશન – GMRC દ્વારા આ નિર્ણય કરાયો છે.
આ લંબાવાયેલા સમય દરમિયાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો મથક અને સાબરમતી મેટ્રો મથક પરથી મૅટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મૅટ્રોના મોટેરાથી APMC અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ એમ બંને કૉરિડોરના કોઈ પણ કાર્યરત્ મેટ્રો મથક પર જઈ શકાશે. જ્યારે ગાંધીનગર જવા મોટેરા સ્ટેડિયમથી સૅક્ટર એક સુધી રાત્રે બે વધારાની મૅટ્રો ટ્રૅન મધ્યરાત્રે 11 વાગ્યાને 40 મિનિટે અને મધ્યરાત્રે 12 વાગ્યાને 10 મિનિટે ઉપડશે.