ઓક્ટોબર 15, 2025 7:27 પી એમ(PM)

printer

અમદાવાદમાં આજથી બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મૅયર્સના સંમેલનનો પ્રારંભ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં બે દિવસની રાષ્ટ્રીય શહેરી પરિષદ અને મૅયર્સના સંમેલનનો પ્રારંભ કરાવ્યો. તેમાં દેશના વિવિધ શહેરને મૅયર, કમિશનર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, સરદાર વલ્લભભાઈ પટેલની શહેરી વિકાસની તત્કાલિન વિચારધારાને આધુનિક વિકાસ સાથે જોડવા અંગે આ પરિષદમાં ચિંતન અને મંથન કરાશે.
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ આ સંમેલનને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા કહ્યું, આ કાર્યક્રમમાં સુયોજિત શહેરી વિકાસ અને તેના ભવિષ્ય માટે વિચાર-મંથન કરાશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે દેશના શહેરી પરિદ્રશ્યને એક કરવા, નવિનતા લાવવા, નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા અગ્રણીઓને એકસાથે લાવવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.