જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

printer

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે.

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે. શાહીબાગ વિસ્તારમાં સ્પીડપૉસ્ટ ભવનમાં આવેલી પૉસ્ટમાસ્ટર જનરલ હૅડ ક્વાર્ટર પરિક્ષેત્રની કચેરી ખાતે સવારે 11 વાગ્યે પૅન્શન અદાલતનું આયોજન કરાયું છે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના નીતિ વિષયક મુદ્દા સિવાયના પૅન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરાશે.
પૅન્શન અદાલત માટે અરજદારોએ આગામી 22 જાન્યુઆરી સુધીમાં પોતાની ફરિયાદ શાહીબાગની કચેરી ખાતે મોકલવાની રહેશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.