જાન્યુઆરી 3, 2026 5:25 પી એમ(PM)

printer

અમદાવાદમાંથી પરવાના વગર ચાલતા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી.

અમદાવાદમાંથી પરવાના વગર ચાલતા દવાના વેચાણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર રતનકંવર ગઢવીચારણે કહ્યું, અમદાવાદમાં મનહરનગર શૉપિંગ સૅન્ટરના ઈ-24ના પ્રથમ માળે આવેલી દુકાનમાં તપાસ કરવામાં આવી. દરમિયાન પરવાના વગર દવાનું વેચાણ માટે સંગ્રહ કરાયેલો 40 લાખ રૂપિયાથી વધુનો જથ્થો મળી આવ્યો હતો.
દવાના જથ્થામાંથી કુલ છ દવાના નમૂનાને પૃથક્કરણ માટે પ્રયોગશાળામાં મોકલાયા છે. તે અહેવાલ આવ્યા બાદ તંત્ર દ્વારા આકળની કાર્યવાહી કરાશે તેમ કમિશનરશ્રીએ ઉંમેર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.