ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 9:55 એ એમ (AM)

printer

અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનના ચૌદમા દિવસે 676 ટન કચરાનો નિકાલ કરાયો

છેલ્લા 14 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ મહાઅભિયાનના ગઇકાલના ચૌદમા દિવસે ચાર હજાર 287થી વધારે લોકોએ સંયુક્ત રીતે સ્વચ્છ કરવાનો પ્રયાસ હાથ ધર્યો. સાબરમતી નદીમાંથી શ્રમદાન થકી 48 ટન અને કુલ 676 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ