અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, સમિતિ આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે જારી કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. તે ભવિષ્યમાં આવા કિસ્સાઓનો સામનો કરવા માટે વ્યાપક માર્ગદર્શિકા પણ સૂચવશે.
તેમાં કહેવામાં આવ્યું કે, સમિતિ સંબંધિત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી અન્ય પૂછપરછનો વિકલ્પ રહેશે નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા અને નિયંત્રિત કરવા માટે માનક સંચાલન પ્રક્રિયાએ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Site Admin | જૂન 14, 2025 1:56 પી એમ(PM) | એર ઇન્ડિયા
અમદાવાદની વિમાનની દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી.
