ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 14, 2025 1:54 પી એમ(PM) | વિમાનની દુર્ઘટના

printer

અમદાવાદની વિમાનની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 254 થયો.

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક તેમજ 12 ક્રૂ સભ્યો હતા. માત્ર એકનો વ્યક્તિનો બચાવ થયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ મેહુલ શાહે ચાર મેડિકલ વિદ્યાર્થીઓ અને એક ડૉક્ટરની પત્નીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
વિમાન દુર્ધટનાનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ – જે ઔપચારિક રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખાય છે – શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે સ્થાનિક આરોગ્ય, પોલીસ અને સુરક્ષા ટીમો હાઇ એલર્ટ પર છે.
નજીકના રહેણાંક વિસ્તારમાંથી આઠ મૃતદેહોના તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. ડીએનએ પરીક્ષણ અને ઓળખમાં મદદ કરવા માટે મૃતકોના 250 સંબંધીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ