અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે.જયારે છ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ નારોલમાં આવેલી એક સિન્થેટીક કંપનીમાં ગેસ ગળતરના કારણે આઠ કર્મચારીઓ બેહોશ થઇ ગયા હતાં. તમામ કર્મચારીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અન્ય છ કર્મચારીઓમાં ચારની હાલત ગંભીર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારે 11 વાગેકંપનીમાં કેમિકલનું ટેન્કર ખાલી કરવામાં આવી રહ્યું હતું ત્યારે અન્ય કેમિકલ સાથે રિએકશન થતાં ગેસ ગળતર થયું હોવાના પ્રાથમિક અનુમાન છે.
Site Admin | ઓક્ટોબર 27, 2024 7:35 પી એમ(PM)
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ફેકટરીમાં ગેસ ગળતર થતાં બે કર્મચારીઓના મોત નિપજ્યાં છે
