અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં કુલ 11 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં, વ્યાવસાયિક પ્રકારના 700 દબાણો સહિત કુલ 12 હજારથી વધુ કાચા-પાકા દબાણો દૂર કર્યા પછી નીકળેલ કાટમાળને હટાવવા માટે મહાનગર પાલિકા દ્વારા ત્રણ હજાર 719 મટ્રિક. ટન જેટલો કાટમાળ દૂર કરવામાં આવ્યો છે.તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ ઝોનમાંથી કરવામાં આવી રહી છે. તળાવમાં અંદાજે 2936 ચોરસ.મીટર ઉંડો ખાડો કરી આશરે મોટા પ્રમાણમાં માટી બહાર કઢાઇ રહી છે. જે મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના ઘનિષ્ઠ વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવાશે
Site Admin | મે 28, 2025 10:25 એ એમ (AM)
અમદાવાદના ચંડોળા તળાવ પરથી ગેરકાયદે દબાણો દૂર કરીને તળાવ ઊંડુ કરવાની કામગીરી પુરજોશમાં
