ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 27, 2024 9:41 એ એમ (AM)

printer

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળીની તમામ સુવિધાઓ લોકોને ત્વરિત મળે તે માટે સરકાર અનેક વિકાસકાર્યો હાથ ધરી રહી છે. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રથી વાસાવડ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનાં આરોગ્યને લગતી તમામ સારવાર આ કેન્દ્ર ખાતેથી નિ:શુલ્ક મળી રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.