ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 15, 2024 3:32 પી એમ(PM) | અંબાજી

printer

અંબાજીના કુંભારિયા જૈન મંદીર દર્શને આવેલાં સુરતનાં પરિવારની થયેલી લૂંટનો ભેદ છ દિવસમાં ઉકેલવામાં આવ્યો

અંબાજીના કુંભારિયા જૈન મંદીર દર્શને આવેલાં સુરતનાં પરિવારની થયેલી લૂંટનો ભેદ છ દિવસમાં ઉકેલવામાં આવ્યો છે. જૈન દેરાસર ખાતે દર્શન યાત્રાએ આવેલા સુરતનાં શ્રદ્ધાળુની ગાડીનાં કાચ તોડીને લૂંટારાઓ 80 તોલા સોનાનાં દાગીના અને દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થયા હતા.
બનાસકાંઠા પોલીસે સઘન તપાસ હાથ ધરીને માત્ર 6 દિવસમાં જ લૂંટારાઓની ધરપકડ કરી હતી અને ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં સુરતનાં રહેવાસી અને તેના પરિવારના સભ્યોને ચોરાયેલું સોનું પરત આપવામાં આવ્યું હતું.