ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 10:46 એ એમ (AM)

printer

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકામાં ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિક પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકામાં ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિક પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
એક ટોલનાકું વેરાવળ નજીક ડારીમાં, બીજું પણ વેરાવળ નજીક સુંદરપરા અને ત્રીજું કોડીનાર નજીક વેળવા પાસે ટોલનાકુ બન્યું છે. સોમનાથ નજીક ડારી ટોલબુથથી વેળવા ટોલ નાકા સુધીમાં 63 કિલોમીટરનું અંતર હોવા છતા ત્રણ ટોલ નાકા થતાં સ્થાનિકો અને પ્રવાસીઓ વિરોધ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ