વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે આતંકવાદી સંગઠનો ખુલ્લેઆમ પાકિસ્તાનથી પોતાની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું છે જેને પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા સમર્થન, ભંડોળ અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જર્મન અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ડૉ. જયશંકરે કહ્યું કે ભારતે આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને આતંકવાદી હુમલાઓની કિંમત ચૂકવવી પડશે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની પ્રતિક્રિયા અંગે, વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે સાવધાનીપૂર્વક સચોટ હુમલા કર્યા. અને પાકિસ્તાનને બતાવી દીધું છે કે સેના તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિષ્ક્રિય કરી શકે છે. ભારતે પાકિસ્તાનના મુખ્ય હવાઈ મથકો અને હવાઈ સંરક્ષણ પ્રણાલી પર અસરકારક રીતે હુમલો કરી તેને અસમર્થ બનાવી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ડૉ. જયશંકરે કહ્યું કે બંને પક્ષોના લશ્કરી કમાન્ડરો વચ્ચે ગોળીબાર બંધ કરવાનો કરાર થયો હતો.
Site Admin | મે 27, 2025 2:26 પી એમ(PM)
સેનાના સમર્થનથી જ પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું હોવાનું કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકરનું નિવેદન.
