ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 2, 2025 8:12 એ એમ (AM)

printer

સર્વોચ્ચ અદાલતે તબીબોને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો

સર્વોચ્ચ અદાલતે તબીબોને દર્દીઓ માટે એક વિશેષ કંપનીની દવાઓ ન લખવા અને માત્ર જેનેરિક દવાઓ લખવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાન વડી અદાલત પહેલા જ આ આદેશ આપી ચૂકી છે. દવા કંપનીઓની મનમાની સાથે સંબંધિત એક અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું, જો સમગ્ર દેશમાં આ નિર્ણયનું પાલન કરાશે તો મહત્વના સુધારા આવી શકે છે.
સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશ; ન્યાયમૂર્તિ સંદીપ મહેતા, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંજય કરોલની ખંડપીઠે આ આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું, આનાથી તબીબોને દવાઓ વેચનારી કંપનીઓ દ્વારા કથિત રીતે લાંચ આપવાની બાબતનું નિવારણ આવી શકશે. રાજસ્થાનમાં આ મામલે એક કાર્યકારી આદેશ જાહેર કરાયો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તબીબોએ દર્દીઓ માટે જેનેરિક દવાઓ જ લખવી પડશે. તબીબો દર્દીઓને કોઈ વિશેષ કંપનીની દવાઓ નહીં લખી શકે. અદાલતે કહ્યું, આ નિર્ણયથી ચિકિત્સા ક્ષેત્રમાં મહત્વના સુધારો આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ