એપ્રિલ 23, 2025 7:43 પી એમ(PM)

printer

સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર નહીં છોડે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પહેલગામ હુમલાના ગુનેગારોને ટૂંક સમયમાં જ યોગ્ય જવાબ આપવામાં આવશે. આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે સરકાર પહેલગામ હુમલા માટે જવાબદાર લોકોને યોગ્ય જવાબ આપવામાં કોઈ કસર છોડશે નહીં.
આજે નવી દિલ્હીમાં ભારતીય વાયુસેનાના માર્શલ અર્જન સિંહની સ્મૃતિમાં આયોજિત એક વ્યાખ્યાનને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ હુમલાનો જવાબ આપવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા, શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
સંરક્ષણ મંત્રીએ ભાર મૂક્યો કે ભારત એટલી પ્રાચીન સભ્યતા અને એટલો વિશાળ દેશ છે કે તેને કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓથી ડરાવી શકાય નહીં. આવનારા સમયમાં, જવાબદારો સામે કડક કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે. વાયુસેનાના માર્શલ અર્જન સિંહને યાદ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તેઓ માત્ર તેમના સમયના એક દૂરંદેશી લશ્કરી નેતા જ નહોતા પરંતુ તેમનું વિઝન આજે પણ એટલું જ સુસંગત છે.
ભારતીય વાયુસેનાની પ્રશંસા કરતા શ્રી સિંહે કહ્યું કે આજના ટેકનોલોજીકલ ક્રાંતિના યુગમાં, ભારતીય વાયુસેના માત્ર અત્યાધુનિક ટેકનોલોજી જ અપનાવી રહી નથી, પરંતુ આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના વિકાસ પર પણ સક્રિયપણે કામ કરી રહી છે. શ્રી સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે ભારતીય વાયુસેનાની આજે અને ભવિષ્યમાં બધી જરૂરિયાતો પૂર્ણ થાય.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.