સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ગઇકાલે નવી દિલ્હીમાં જાપાનના તેમના સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષી બેઠક યોજી હતી. બંને નેતાએ આતંકવાદના તમામ પ્રકારની ટીકા કરી અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા પણ કરી. તેમણે દ્વિપક્ષી સંબંધને મજબૂત કરવા અને પ્રાદેશિક શાંતિમાં યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ભારત અને જાપાન વચ્ચે મજબૂત દરિયાઈ સહયોગમાં નવા પરિમાણ જોડવા પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી.
Site Admin | મે 6, 2025 9:46 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ગઇકાલે નવી દિલ્હીમાં જાપાનના તેમના સમકક્ષ જનરલ નાકાતાની સાથે દ્વિપક્ષી બેઠક યોજી
