નવી વૈશ્વિક વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતે અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે ભાર મૂક્યો હતો.કેન્દ્રીય નાણાંમંત્રીએ અહીં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરકાર આ પડકારજનક સમયમાં ભારતને આગળ વધારવા અને વૈશ્વિક વિકાસનું એન્જિન બનવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે, ભારતે વૈશ્વિક રિકવરીમાં અર્થપૂર્ણ યોગદાન આપવા તેમજ માથાદીઠ આવકમાં વધારો કરવા અને વૈશ્વિક વિકાસને આગળ ધપાવતું વ્યવસાય સ્થળ બનવા માટે સતત પ્રયાસો કરવા પડશે.સીતારમણે કહ્યું કે, આપણે મર્યાદિત છીએ, પરંતુ આપણે સ્વીકારવું પડશે કે બહુપક્ષીય સંસ્થાઓનું યોગદાન અદૃશ્ય થઈ રહ્યું છે. તેથી, ભારતે માત્ર વેપાર અને રોકાણ માટે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક સંબંધો માટે પણ અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો ભારતની મોટી અર્થવ્યવસ્થાનો ભાગ છે, જે આપણને આગળ લઈ જશે.
Site Admin | ફેબ્રુવારી 27, 2025 8:21 પી એમ(PM) | નાણામંત્રી સીતારમણ
વેપાર અને રોકાણ વધારવા માટે અન્ય દેશો સાથે, દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર પર કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે ભાર મૂક્યો
