આજે 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. ચકલીની સંખ્યામાં ઘટાડો થતો અટકાવવા અને ચકલીને બચાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરાય છે. મહેસાણાની સેવા સજીવ સેતુ સંસ્થા દ્વારા આજે 2 હજાર ચકલી ઘરનું વિતરણ કર્યું હતું. આ સંસ્થાના કાર્યકર રાજેશ ચૌધરીએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
જામનગરમાં કોર્પોરેટર ડીમ્પલ રાવલ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વિનામૂલ્યે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું.
પાટણ શહેર સહિત જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ તેમજ જીવદયાપ્રેમીઓ દ્વારા ચકલીઓના માળા, પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા તેમજ પક્ષીઓને દાણા ચણવા માટેના ચણઘરનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના જિલ્લા વન વિભાગ અને સેવાભાવી સંસ્થા દ્વારા લુણાવાડામાં 4 હજાર ચકલીના માળાનુ વિતરણ કરાયું.
Site Admin | માર્ચ 20, 2025 7:17 પી એમ(PM)
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજ્યમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો કરાયા
