ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 8:11 પી એમ(PM) | વિદેશ મંત્રી એસ. જયશંકર

printer

વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે દેશની બહાર અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે

વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે દેશની બહાર અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે સરકારે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી પાછા ફરેલા ભારતીય વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે ઘણા પગલાં લીધા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે સરકાર આ વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સહાનુભૂતિ ધરાવે છે. સરકારે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી સેંકડો વિદ્યાર્થીઓને પાછા લાવ્યા હોવાનું જણાવતા તેમણે કહ્યું કે સરકારે યુક્રેનના મેડિકલ વિદ્યાર્થીઓને તેમનો શિક્ષણ અભ્યાસ ત્રીજા દેશમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી છે અને ભારતમાં પ્રેક્ટિકલ પરીક્ષાઓની મંજૂરી આપી છે.
શ્રી જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે આવા પ્રદેશોમાંથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને ઘણી તકો પૂરી પાડવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 75 હજાર વધારાની મેડિકલ બેઠકો ઊભી કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ