વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૧ કરોડ ૭૬ લાખ રૂપિયાના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીયકચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રી દેસાઈએ જણાવ્યું કે, વર્ષ ૨૦૦૪માં ૭ હજાર મેગા વૉટ વીજ વપરાશની જરૂરિયાત હતી, જ્યારે આજે રાજ્ય ૨૫ હજાર મેગા વૉટની જરૂરિયાતને પહોંચી વળે છે. તેમણે જણાવ્યું કે ડીજીવીસીએલ દ્વારા પોતાના સીએસઆર ફંડમાંથી 71 લાખ 64 હજાર રૂપિયા ફાળવી ચારએમ્બ્યુલન્સ આપી છે જે જિલ્લાની આરોગ્ય સેવાને પણ મજબૂત બનાવશે.
Site Admin | એપ્રિલ 5, 2025 6:17 પી એમ(PM)
વલસાડમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ૧ કરોડ ૭૬ લાખ રૂપિયાનું લોકાર્પણ
