રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે મહાકુંભ માટે શહેરના આઠ રેલ્વે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે.રેલ્વે મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલો પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે પ્રયાગરાજ જંકશન બંધ કરવામાં આવ્યું નથી. મંત્રાલયે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર મુજબ, પ્રયાગરાજ સંગમ સ્ટેશન આ મહિનાની 14 તારીખ સુધી મુસાફરોની અવરજવર માટે બંધ રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહા કુંભ મેળા વિસ્તારની આસપાસના આઠ અન્ય સ્ટેશનો પરથી નિયમિત અને ખાસ ટ્રેનો સરળતાથી ચાલી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:02 પી એમ(PM)
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું
