રેલવે મંત્રીઅશ્વિની વૈષ્ણવ આવતીકાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ આવતીકાલે બપોરે બાર વાગે સુરત વિમાની મથકે આવી પહોંચશે. ત્યાંથી તેઓ કીમ રેલવે સ્ટેશને જશે અને બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેકચરિંગ ફેકટરીની મુલાકાત લેશે. ત્યારબાદ લોકાદરાના પ્લાસર ઇન્ડિયા ફેકટરીની મુલાકાત લેશે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતિશક્તિ યુનિવર્સિટીના આવતીકાલે યોજાનારા બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ પદવીદાન સમારોહમાં વિજ્ઞાન, ટેકનોલોજી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સહિતની વિદ્યાશાખાના કુલ 239 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે અને પાંચ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરશે.ઉલ્લેખનીય છેકે, ગતીશક્તિ વિશ્વ વિદ્યાલય પરિવહન અને લોજીસ્ટીક્સ ક્ષેત્રને સમર્પિત દેશનું પહેલું અને એકમાત્ર વિશ્વ વિદ્યાલય છે.
Site Admin | નવેમ્બર 29, 2024 7:18 પી એમ(PM)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે
