રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. લગભગ પાંચ વર્ષ બાદ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થવાની આશા છે. ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ તેની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠકની અધ્યક્ષતા કરી. તેઓ આજે આ સમિતિના નિર્ણયની જાહેરાત કરશે. કોવિડ રોગચાળા અને ત્યારબાદ લાગુ થયેલા લોકડાઉનથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે રિઝર્વ બેંકે છેલ્લે મે 2020 માં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 4 ટકા કર્યો હતો. પરંતુ, મે 2022 માં, રશિયા-યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને RBI એ રેપો રેટમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 9:58 એ એમ (AM)
રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે
