રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાનાં કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિવિધ ભાષાઓના 17 હજાર ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે મદદનીશ ગ્રંથાલયના નિયામક ડૉ. જયરામ દેસાઈએ જણાવ્યું કે 17 હજારથી વધુ દુર્લભ ગ્રંથો રાજ્યની ધરોહર છે. આ દુર્લભ ગ્રંથોના વારસાની મૂળ નકલ સુરક્ષિત કરવા તમામ ગ્રંથોની ડિજીટલ નકલ તૈયાર કરાઈ રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ અંગેની એક વેબસાઇટ તૈયાર કરાશે.
Site Admin | નવેમ્બર 20, 2024 3:45 પી એમ(PM)
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત મહેસાણાનાં કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર ખાતે દુર્લભ ગ્રંથોનું પ્રદર્શન યોજાયું હતું
