રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદ્ઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ આ પરિષદને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન એટર્ની જનરલના કાર્યાલય દ્વારા કાયદા અને ન્યાય મંત્રાલયના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
મીડિયા સાથે વાત કરતા, એટર્ની જનરલ આર વેંકટરામણીએ જણાવ્યું હતું કે આ પરિષદ મધ્યસ્થી પ્રક્રિયાની ચર્ચા કરવા અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન માટે મોટી સંખ્યામાં મધ્યસ્થી અને મધ્યસ્થી સંસ્થાઓને એકત્ર કરશે.આકાશવાણી સાથે વાત કરતા, કાયદા અને ન્યાય મંત્રાલયના સંયુક્ત સચિવ અજય અરોરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા માટે અરજદારોને મધ્યસ્થી પ્રક્રિયાને અનુસરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
Site Admin | મે 3, 2025 9:20 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં પ્રથમ રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદ્ઘાટન કરશે
