રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આદિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રીમતી મુર્મુએ કહ્યું કે દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં આદિવાસી કલ્યાણ માટે ફાળવણી ત્રણ ગણી વધારવામાં આવી છે.
આદિ મહોત્સવનો ઉદ્દેશ ભારતના આદિવાસી સમુદાયોની જીવંત સંસ્કૃતિ, વારસો અને આર્થિક સંભાવનાની ઉજવણી અને પ્રદર્શન કરવાનો છે. આ મહોત્સવમાં 600થી વધુ આદિવાસી કારીગરો અને 500 કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 25 આદિવાસી ખાદ્યપદાર્થોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે જે તે સ્થળોની ખાદ્ય પરંપરાઓનું પ્રદર્શન કરે છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:54 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું દેશના આદિવાસી લોકોની પરંપરાઓ અને જીવનશૈલી દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવે છે
