રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગને 16 કરોડથી વધુની આવક થઇ છે. એસ.ટી. વિભાગે એક અઠવાડિયામાં ૬ હજાર ૬૧૭ વધારાની બસો દોડાવી હતી, જેને પગલે કરોડોની આવક થઇ છે. એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટોનું બુકીંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચોથી નવેમ્બરે એક જ દિવસમાં પોણા બે લાખથી વધુ સીટોનું બુકિંગ થયું હતું. તો સવા ત્રણ કરોડની આવક સાથે એડવાન્સ બુકિંગનો રેકોર્ડ પણ એસ.ટી.વિભાગે નોંધાવ્યો છે.
સુરત ખાતેથી સૌથી વધુ ૧ હજાર ૩૫૯ વધારાના ફેરા કરાતાં નિગમને ૨ કરોડ ૫૭ લાખની આવક થઇ છે.
દિવાળીનો તહેવાર નાગરીકો પોતાના વતનમાં જઈને જ ઉજવે છે તેવી એક પરંપરા રહી છે. આ તહેવારોને ધ્યાને લઈને લોકોને યોગ્ય અને પુરતી સુવિધા મળી રહે તે માટે એસ.ટી નિગમે તમામ વ્યવસ્થા કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 7:17 પી એમ(PM)
રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગને 16 કરોડથી વધુની આવક થઇ
