ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં કુલ 397 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર 22 દર્દીઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.. જ્યારે 375 દર્દીઓ હોમ આઇશોલેશનમાં છે. સારવાર બાદ સાજા થઇ ગયેલા 36 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શરદી ખાંસી કે તાવ જેવા લક્ષણો જણાય તો નાગરિકોને તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.. રાજ્ય સરકારે લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે..
Site Admin | જૂન 3, 2025 10:25 એ એમ (AM)
રાજ્યમાં કોવિડ-19ના 397 નોંધાયેલા કેસમાંથી 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં- 22 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ
