‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે રાજ્યભરમાં 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રવેશોત્સવમાં બાલવાટિકાથી લઈને ધોરણ 11 સુધીના કુલ 25 લાખ 75 હજાર પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને આવરી લેવાશે.ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીઓ, પદાધિકારીઓ સહિત વર્ગ-૧ના ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક બાદ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવને કારણે શાળાઓમાં 100 ટકા નામાંકન થાય છે.સરકાર દ્વારા વિનામૂલ્યે અંદાજીત ૪.૩૯ કરોડ પાઠયપુસ્તકો ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પહોંચાડવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, શાળા પ્રવેશોત્સવ દ્વારા રાજકોટ જિલ્લાના કુલ ૧૮ હજાર ૫૧૭ ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.
Site Admin | જૂન 11, 2025 8:57 એ એમ (AM)
રાજ્યભરમાં 26થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
