ગઈકાલે રાત્રે સમગ્ર રાજ્યના લોકોએ ભારત સરકારની ગાઈડલાઈન મૂજબ સ્વંયભૂ અને શિસ્તબદ્ધ રીતે તબક્કાવાર અંધારપટ માટેની સૂચનાનું પાલન કર્યું. ગાંધીનગરમાં રાજભવન, મંત્રી નિવાસથી લઈને તમામ રહેણાંક સ્થળો તથા જાહેર માર્ગો પર રાત્રીના 8 વાગે વીજળી બંધ થતાં સર્વત્ર અંધારપટ છવાઈ ગયો હતો.ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે રેલવે ડિવિઝનના ભાવનગર ટર્મિનસ ડેપો અને સ્ટેશન ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાવનગર જિલ્લામાં સાંજે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ કરવામાં આવતા અંધકાર છવાયો હતો.અમદાવાદમાં પણ નાગરિકોએ જય હિંદ, ભારત માતા કી જય અને વંદે માતરમ્ જેવા નારા સાથે અંધારપટ કરીને દેશદાઝની લાગણી વ્યક્ત કરી હતી.
ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આહવા સહિતના વિસ્તારોમાં સાંજે 7.30 થી 8.00 વાગ્યા સુધી સતત અંધારપટ છવાયો હતો.નર્મદા, સુરત, પાટણ, નવસારી અને મોરબીના અમારા પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર જિલ્લાઓમાં મોકડ્રિલ અને બ્લેક આઉટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
Site Admin | મે 8, 2025 10:10 એ એમ (AM)
રાજ્યભરમાં લોકોએ અંધારપટનું સ્વયંભુ અને શિસ્તબધ્ધ રીતે પાલન કર્યું
