રાજ્યનો મહત્વકાંક્ષી જિલ્લો એવા નર્મદા જીલ્લામાં આજથી જળ ઉત્સવનો આરંભ થયો છે.. નીતિ આયોગ દ્વારા આયોજીત દેશભરના મહત્વકાંક્ષી જિલ્લાઓમાં આજથી ૨૦ નવેમ્બર સુધી આ ઉત્સવ યોજાશે.. જળ ઉત્સવ અભિયાનનો નાંદોદ તાલુકાના જીતગઢ ગામેથી તેનો આરંભ થયો હતો.. નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જળ સંગ્રહ સ્થળોની પૂજા કરી જળઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. નર્મદા જિલ્લાના નાગરિકોને જળ વ્યવસ્થાપન, જળ સંચય અને ટકાઉપણાના મહત્વ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 6:59 પી એમ(PM)
રાજ્યનો મહત્વકાંક્ષી જિલ્લો એવા નર્મદા જીલ્લામાં આજથી જળ ઉત્સવનો આરંભ થયો
